મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં


SHARE





મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં

મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેના માટે કુલ મળીને 33 ફોર્મ  ભરવામાં આવ્યા હતા જેમાંથી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 8 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી કરીને હવે માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 6 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે કુલ મળીને 33 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરાવામાં આવ્યા હતા. અને બુધવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની આખરી તારીખ હતી ત્યારે વેપારી પેનલમાંથી 1 અને ખેડૂતની પેનલમાંથી 7 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી હવે યાર્ડની 14 બેઠકો માટે કુલ મળીને 25 આગેવાનો મેદાનમાં છે અને આગામી તા 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે ઉલેખનીય છે કે, સહકર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરીવર્તન પેનલ આ ચુંટણીમાં આમને સામને છે. ઉલેખનીય છે કે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ વર્ષ 1988. 1995, 2001 અને 2021 માં ચુંટણી યોજાઈ હતી અને હાલમાં વર્તમાન બોડીની મુદત પૂરી થયેલ છે જેથી કરીને ચૂંટણી યોજવા જય રહી છે, આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1507 અને વેપારી પેનલ માટે 51 મતદારો છે અને આ યાર્ડમાં મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની 140 મંડળીઓ અને 1668 મતદારો નોંધાયેલ છે. જો કે, હાલમાં ખેડૂતોનું જે મોરબી જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે તેની અસર યાર્ડની ચુંટણીમાં કેવી રહેશે. તેના ઉપર હાલમાં રાજકીય પંડિતોની નજર મંડાયેલ છે.




Latest News