મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન
મોરબીના જેતપર-રાપર વચ્ચે ચાલતા રોડના કામના સેમ્પલ લેવા માટે મંત્રી બ્રિજેશ મેરજાની સૂચના
SHARE
મોરબીના જેતપર-રાપર વચ્ચે ચાલતા રોડના કામના સેમ્પલ લેવા માટે મંત્રી બ્રિજેશ મેરજાની સૂચના
મોરબી તાલુકાના જેતપર મચ્છુથી રાપર સુધીના નવા રોડ મંજૂર કરાયેલ છે ત્યાં ડામર સપાટીનું કામની ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ કામની સરપ્રાઈઝ મુલાકત લીધી હતી. અને આ કામમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાની હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. અને આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય તેને નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરી હતી. આ ઉપરાંત મટીરીયલને ક્વોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્તાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરીને નબળી ગુણવત્તાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને યોગ્ય કરવા સુચના આપી છે વધુમાં મંત્રીએ જણાવ્યુ હતું કે, આ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જ્યાં પણ રસ્તાના કામો ચાલુ છે ત્યાં ક્યાંય પણ કચાસ ચલાવી લેવામાં આવશે નહીં આમ મંત્રીની અચાનક મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો હતો.