માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની કલેક્ટર-ડીડીઓએ મુલાકાત લીધી


SHARE

















મોરબીમાં હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની કલેક્ટર-ડીડીઓએ મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લામાં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે. તેમજ હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની આરોગ્ય તપાસ માટે કુલ 8 સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરેલ છે..

આજ રોજ કલેકટર જે. બી. પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવાડીયા દ્વારા કન્ટેન્ટ મેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી અને કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત કરી તેમની તબિયત વિષે ખબર અંતર પુછી તેમજ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કરેલ હતી તેમજ ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરી ની સમીક્ષા કરવામાં આવેલ હતી વધુમાં હોમ આઈશોલેશન માં રહેલા મોટા ભાગના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધેલ હોઈ કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી. તેમજ હોસ્પિટલમા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી. માટે અધિકારીઓએ જનતાને કૉવિડ એપ્રોપ્રીએટ બેહેવિયર રાખવા તેમજ વેકશીન ના બંને ડોઝ તુરંત લઈ લેવાની અપીલ કરેલ છે.




Latest News