મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત


SHARE













હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અજિતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા કેનાલમાં આજે સવારે એક કાર ખાબકી હતી અને આ કારમાં બેઠેલ નવદંપતિનું પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તરવૈયાઓની મદદથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

હળવદના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર જાતે આહીર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે અજીતગઢ ગામેથી આઈ ટ્વેન્ટી કારમાં માળીયા તરફ જવા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકી ગામના નાલા પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાંચની કેનાલમાં તેની કાર ખાબકી હતી જેથી કરીને ત્યાં હાજર રહેલા લોકોએ કેનાલમાં પડેલી કાર સાથે કેનાલમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરી હતી અને પહેલા મિતલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં રાહુલભાઈના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં મેઘપર ગામે
સગાઇના પ્રસંગમાં જવા  માટે દંપતિ તેના ઘરેથી કાર લઈને નિકળ્યું હતું અને રસ્તામાં કાર કેનાલમાં પડવાથી બંનેના મોત નિપજ્યાં છે જેથી કરીને આહીર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની જાણ થતા ટીકર જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અજીતગઢના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા




Latest News