મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ


SHARE









મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ

 મોરબી સહિત ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે વાત કરીએ તો ગુજરાતનાં કેટલાક મંત્રી, ભાજપના અનેક હોદ્દેદારો તેમજ અન્ય લોકોને કોરોના પોઝિટિવ આવે છે દરમિયાન આજે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોના લક્ષણો જણાતા તેને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવે છે જેથી કરીને તે હાલમાં જોમ કોરેંટાઇન થયેલા છે અને છેલ્લા દિવસોમાં તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક કોરોના રિપોર્ટ કરવા માટે અપીલ કરી છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધુ આવી રહી છે અને દર્દીઓની સારવાર પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે છે જો કે, કેસ સતત વધી રહી હોવાથી આરોગ્ય વિભાગ અને અન્ય લોકોની પણ ચિંતા વધી રહી છે તેવામાં આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવેલ છે અને બ્રિજેશભાઈ મેરજાને કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરેંટાઈન થયેલ છે તેઓએ પોતે સોસયલ મીડિયાના માધ્યમથી તે કોરોના પોઝિટિવ આવેલ છે તેની જાણ કરી છે અને તેના સંપર્કમાં છેલ્લા દિવસોમાં આવેલા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ સરકારી જુદા જુદા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને જો કોરોનાના લક્ષણો જણાતા હોય તો તેઓએ પણ વહેલી તકે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે અને ખાસ કરીને હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દરેક લોકોને તકેદારી રાખવા માટે પણ તેઓઅનુરોધ કર્યો છે 






Latest News