મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ


SHARE













મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ

 મોરબી સહિત ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે વાત કરીએ તો ગુજરાતનાં કેટલાક મંત્રી, ભાજપના અનેક હોદ્દેદારો તેમજ અન્ય લોકોને કોરોના પોઝિટિવ આવે છે દરમિયાન આજે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોના લક્ષણો જણાતા તેને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવે છે જેથી કરીને તે હાલમાં જોમ કોરેંટાઇન થયેલા છે અને છેલ્લા દિવસોમાં તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક કોરોના રિપોર્ટ કરવા માટે અપીલ કરી છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધુ આવી રહી છે અને દર્દીઓની સારવાર પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે છે જો કે, કેસ સતત વધી રહી હોવાથી આરોગ્ય વિભાગ અને અન્ય લોકોની પણ ચિંતા વધી રહી છે તેવામાં આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવેલ છે અને બ્રિજેશભાઈ મેરજાને કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરેંટાઈન થયેલ છે તેઓએ પોતે સોસયલ મીડિયાના માધ્યમથી તે કોરોના પોઝિટિવ આવેલ છે તેની જાણ કરી છે અને તેના સંપર્કમાં છેલ્લા દિવસોમાં આવેલા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ સરકારી જુદા જુદા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને જો કોરોનાના લક્ષણો જણાતા હોય તો તેઓએ પણ વહેલી તકે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે અને ખાસ કરીને હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દરેક લોકોને તકેદારી રાખવા માટે પણ તેઓઅનુરોધ કર્યો છે 




Latest News