ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા


SHARE













મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને હાલમાં સરકાર દ્વારા મોરબી અને વાંકાનેર શહેરી વિસ્તારમાં રાત્રી કર્ફ્યુની અમલવારી શરૂ કરેલ છે દરમિયાન ઘણા લોકો રાત્રિ કરફ્યુનો ભંગ કરીને કારણ વગર રાત્રે આટા ફેરા મારતા હોય છે જેથી કરીને આવા શખ્સોની સામે હવે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ માસ્ક ન પહેરનાર શખ્સોની સામે પણ ગુનો નોંધવામાં આવે છે

મોરબી જિલ્લામાં ધીમે ધીમે કરતા આજની તારીખે લગભગ ૧૬૦૦ કરતાં વધુ કોરોના એક્ટિવ છે અને લગભગ દરરોજ છેલ્લા એક સપ્તાહથી ૧૦૦ થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવે છે તેમ છતાં પણ હજુ પણ લોકો બેદરકારી રાખી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે થઈને રાત્રી કરફ્યુની અમલવારી શરૂ કરવામાં આવી છે અને રાત્રીના 1૧૦ વાગ્યાથી બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુની અમલવારી ચાલુ રહેતી હોય છે જોકે ઘણા શખ્સો કરફ્યુનો ભંગ કરીને કારણ વગર રાતે આંટા મરત હોય છે જેથી આવા શખ્સોની સામે હવે ગુનો નોંધાવમાં આવી રહ્યા છે

મોરબીના વીસી ફાટક પાસેથી પસાર થતા કુલદીપસિંહ ઘનશ્યામ પરમાર જાતે દરબાર (ઉ. ૨૫) રહે. વાણીયા તાલુકો માળીયા, નવદીપસિંહ જયવીરસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૨૧) રહે. વિધ્યુતનગર સર્કીટ હાઉસની સામે મોરબી, મોરબીની રવાપર ચોકડી પાસે વિજયભાઈ મનુભાઈ ગોગા જાતે બોરીચા (ઉં.૨૭) રહે. રવાપર ધાયડી વિસ્તાર મોરબી તેમજ મોરબીના સનાળા રોડ કે.કે.સ્ટીલ સામે જય ભાવાની ફાસ્ટફુડ નામની દુકાન રાતે ૧૦ વાગ્યે ખુલ્લી રાખનાર વેપારી નિકુંજભાઈ કેશવજીભાઇ કાસુન્દ્રા જાતે પટેલ (ઉં ૨૯) રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક મોરબી વાળાની સામે કરફ્યુ ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે

તો રાત્રિ કરફ્યુ સમયે માસ્ક પહેર્યા વગર મોરબીના વીસીપરામાં અહેમદહુશેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટટી મીયાણા (ઉ.૩૮) રહે. વીસીપરા કેશવાનંદબાપુના આશ્રમ પાસે અને ત્રાજપર ચોકડી પાસેથી રવીભાઇ પરષોતમભાઇ માનેવાડીયા જાતે કોળી (ઉ.૨૧) તેમજ સંજયભાઇ જલાભાઇ સનુરા કોળી (ઉ.૨૮) રહે. ત્રાજપર વાળો નીકળતા તેની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર શહેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલ પાસેથી પસાર થતાં વિજયભાઈ કાનાભાઈ મદ્રેસાણિયા જાતે કોળી (ઉં. ૨૨) રહે. આરોગ્યનગર વાળાએ માસ્ક પહેર્યું ન હતું જેથી તેની સામે પણ ગુનો નોંધાયો છે






Latest News