મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના કારખાનાની અંદર મશીનનો કન્વેન્યર બેલ્ટ બદલાવતા સમયે હાથ મશીનમાં આવી જવાથી મહિલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે સરતાનપર રોડ ઉપરના સેટમેક સીરામીકમાં કન્વેન્યર બેલ્ટને બદલાવતા સમયે હાથ મશીન અને બેલ્ટની વચ્ચે આવી જતાં હાથ મશીનમાં ખેંચાઇ જવાથી માથાના ભાગે પછડાટ લાગતા વર્ષાબેન નગીનભાઈ બારીયા નામના ૩૧ વર્ષીય મજુર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી કરીને તેઓના ડેડબોડીને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના ગીતાબેન હીરાભાઈ પાંચીયા અને હિરાભાઈ સુરાભાઈ પાંચીયાને લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામે ચુલામાં દાઝી ગયેલ કોમલબેન અરવિંદભાઈ મકવાણા નામની પાંચ વર્ષીય બાળાને સારવાર માટે મોરબી સિવિલે દાખલ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી અરિહંત સોસાયટીમાં રહેતા હરજીવનભાઈ કરમશીભાઇ મેરજા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ ઘરેથી કામ સબબ બહાર જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક જીઆઈડીસી પાસે સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત હરજીવનભાઈ મેરજાને સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા પરાગભાઈ લાભશંકર મોદી નામના ૫૭ વર્ષીય આધેડે ફિનાઇલ પી લેતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.પોલીસ મથકના હમીરભાઇના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી પરાગભાઇ કામ કરી શકતા ન હોય માનસિક બીમાર રહેતા હોય અને પત્નીએ કામ કરવું પડતું હોય તેમજ સંતાનમાં બે દીકરીઓ હોય તે બાબતે મનોમન લાગી આવતાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું.






Latest News