ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ


SHARE













મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ

મોરબી તાલુકાના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેઓએ કર્યું હતું અને લોકોની આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે તેને સરકાર સતત ચિંતિત છે અને વિકાસ કામોને સરકાર દ્વારા વેગ આપવામા આવી રહ્યો છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લામાં ઘર આંગણે જ દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે થઇને સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટ અંતર્ગત આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવે છે ત્યારે મોરબીના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણ આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વસાદડીયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઇ પડસુંબિયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની આરોગ્યની સુવિધામાં વધારો કરવા માટે સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલની અંદર વધારાની સુવિધાઓ જુદી-જુદી ગ્રાન્ટ અંતર્ગત વધારવામાં આવી રહી છે તે અંતર્ગત આજે મોરબી તાલુકાના ભરતનગર ગામે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે લોકોને જરૂરિયાતના સમયે મદદરૂપ બનીને આશીર્વાદરૂપ બની રહેશે અને મહામૂલી જિંદગીને બચાવવા માટે ત્યાં ખૂબ ઉપયોગી બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પણ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા વિકાસ કામોને વેગ આપવામાં આવશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે






Latest News