મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ


SHARE











મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ

મોરબી તાલુકાના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેઓએ કર્યું હતું અને લોકોની આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે તેને સરકાર સતત ચિંતિત છે અને વિકાસ કામોને સરકાર દ્વારા વેગ આપવામા આવી રહ્યો છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લામાં ઘર આંગણે જ દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે થઇને સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટ અંતર્ગત આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવે છે ત્યારે મોરબીના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણ આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વસાદડીયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઇ પડસુંબિયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની આરોગ્યની સુવિધામાં વધારો કરવા માટે સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલની અંદર વધારાની સુવિધાઓ જુદી-જુદી ગ્રાન્ટ અંતર્ગત વધારવામાં આવી રહી છે તે અંતર્ગત આજે મોરબી તાલુકાના ભરતનગર ગામે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે લોકોને જરૂરિયાતના સમયે મદદરૂપ બનીને આશીર્વાદરૂપ બની રહેશે અને મહામૂલી જિંદગીને બચાવવા માટે ત્યાં ખૂબ ઉપયોગી બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પણ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા વિકાસ કામોને વેગ આપવામાં આવશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે






Latest News