મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય ખાતે મિશન માર્ચ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE







મોરબીની તપોવન વિદ્યાલય ખાતે મિશન માર્ચ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે સેમિનારમાં મુખ્ય વક્તા સીએ અભિષેકભાઈ પનારા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેટ કરવામાં આવ્યા હતા.સેમિનારના મુખ્ય વક્તા સીએ અભિષેકભાઈ પનારાએ અવનવી મોટીવેશનલ વાતો ખુબ સરળ શબ્દોમાં રજૂ કરેલ.જેમાં સુપર ૬૦, કમ્ફર્ટ ઝોન, સોશિયલ મીડિયા, ચોઇસ, કેરિયર તેમજ આત્મનિર્ભર અને બોર્ડના મહત્વના વર્ષ સંબંધિત વાતો ખૂબ સરળ શૈલીમાં વાર્તા સ્વરૂપે વિદ્યાર્થીઓને સમજાવીને ખૂબ મહત્વનું મોટીવેશન આપવામાં આવ્યું હતુ.વિદ્યાર્થીઓના મનમાં રહેલી મૂંઝવણોને પણ પ્રશ્નોતરી દ્રારા સરળ શૈલીથી દૂર કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરીયા, પ્રિન્સીપાલ નરેશભાઈ સાણજા અને સમગ્ર સ્ટાફે સીએ અભિષેકભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News