મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા કિશન બોળીયાની હત્યા મુદે મૌન રેલી


SHARE













મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા કિશન બોળીયાની હત્યા મુદે મૌન રેલી

ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ.કિશનભાઈ શિવાભાઈ બોળીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રેલી યોજીને આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સોમવારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલી યોજાશે

ગુજરાતનાં ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ. કિશનભાઈ શિવાભાઈ બોળીયાની વિધર્મી દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારાઓને ઝડપથી પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તે માટે મોરબીમાં મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારે સવારે ૧૧ વાગ્યે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ પ્રેમી જનતાને બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News