ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ગુજરાત એસટીમાં 2200 ડ્રાઈવર-કંડકટરની ભરતી, 2200 નવી બસો દોડશે: પૂર્ણેશ મોદી


SHARE













ગુજરાત એસટીમાં 2200 ડ્રાઈવર-કંડકટરની ભરતી, 2200 નવી બસો દોડશે: પૂર્ણેશ મોદી

રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા ની હાજરીમાં મોરબી જીલ્લાના ટંકારા સહિત ગુજરાતના ચાર એસટી ડેપો નું લોકર્પણ કરવામાં આવ્યું હતુ ત્યારે ગુજરાત એસટીની અંદર આગામી સમયમાં 2200 જેટલા ડ્રાઈવર કંડકટરની ભરતી કરવામાં આવશે અને એક વર્ષની અંદર લગભગ 2200 જેટલી બસો ગુજરાત એસટી ને મળશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવેલ છે

ગુજરાતના છેવાડાના માનવીને પણ એસટીની સારામાં સારી સુવિધા મળે તેના માટે થઈને રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ગામે ગામ નવા એસટી ડેપો અને નવી બસો આપવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાત રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીની હાજરીમાં મોરબી જિલ્લાના ટંકારા ખાતે બનાવવામાં આવેલ નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ ગોંડલ, સરા સહિત ચાર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ

ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર આદિવાસીથી લઈને છેવાડાના લોકો સુધી એસ.ટી.ની સુવિધા પહોંચે તેના માટે થઇને સરકાર કટિબદ્ધ છે અને આજરોજ 9 કરોડથી વધુના ખર્ચે બનેલા જુદા જુદા ચાર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વધુમાં તેઓએ કહ્યું હતું કે આગામી સમયની અંદર ગુજરાતમાં 2200 જેટલા ડ્રાઈવર કંડકટરની ભરતી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે જેથી કરીને નવા સ્ટાફની ભરતી થઇ ગયા બાદ એક હજાર જેટલી બસો આ વર્ષમાં અને આગામી વર્ષમાં 1200 જેટલી જુદી-જુદી કેટેગરીની બસો કાર્યરત કરવામાં આવશે

આમ દોઢ વર્ષની અંદર ગુજરાતના જુદા-જુદા શહેરોમાં એસટીની સુવિધા વધશે સાથોસાથ તેઓએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સારા રોડ રસ્તા બનાવવાની સાથે સાથે મુસાફરો માટે એસટીની સુવિધા વધે તેના માટે થઈને સતત ચિંતિત છે અને તે દિશામાં કામગીરી પણ કરવામાં આવી રહી છે જેના ફળ સ્વરૂપે લોકોની સુવિધામાં વધારો થયો છે આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, રાજ્યકક્ષાના વાહન વ્યવહાર વિભાગના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સભ્યો સહિતના પદાધિકારીઓ અને કલેક્ટર જે.બી. પટેલ, એસટીના વિભાગીય નિયામક જે.બી.કલોતરા સહિતના અધિકારી હાજર રહ્યા હતા






Latest News