ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે


SHARE













મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામને આંગણે રૂડો અવસર આવ્યો છે જેમા આગામી તારીખ ૧૭-૨ ના રોજ સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામની કુળદેવી ગામ ઝાંપાની પીઠળ માઁ ના નવરંગ માંડવાનું તેમજ તે નિમિતે મહાયજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.જેથી કરીને સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરીઓને ભાણેજો સાથે માઁ પીઠળનો મહાપ્રસાદ લેવા ગામના સરપંચ ગૌતમભાઇ દ્રારા ગામવતી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબીના અસોશિએશન ઓફ પીડિયાટ્રીશીયન અને મુંબઇની જસલોક હોસ્પિટલના સંયુકત ઉપક્રમે થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓની માહિતી આપવામાં આવશે.તે ઉપરાંત થેલેસેમિયાની નવી સારવારના વિકલ્પો જેમ કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી વિષે પણ કેમ્પમાં માહિતી આપવામાં આવશે. કેમ્પમાં જસલોક હોસ્પિટલ, મુંબઈના ડૉ. ચિંતન વ્યાસ સેવા આપશે.તેઓ બાળકોની લોહીની બીમારી તથા કેન્સરના નિષ્ણાત છે.તેમજ ગુજરાતનાં પ્રથમ અને એકમાત્ર બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત છે.કેમ્પ આગામી તા.૨૦-૨ ને રવિવારે સવારે ૯ વાગ્યાથી અહિંના આઇએમએ હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે જેમા ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંહર ૯૪૦૮૨ ૭૪૬૦૬ ઉપર સંપર્ક કરવો તેમ મોરબી આઇએમએ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News