મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોત સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા વૃદ્ધને બાઇકચાલકે હડફેટે લીધા હતા જેથી તેને બંને પગમાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને  સારવારમાં લઈ ગયા હતા જો કેસારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જીને બાઇક છોડીને નાસી ગયેલા બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં ફોર સ્ક્વેર-૨ ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા મૂળ માળીયા તાલુકાનાં લક્ષ્મીવાસ ગામના રહેવાસી ઉપેન્દ્રભાઈ મનભાઈ સંઘાણી જાતે પટેલ (ઉમર ૪૦) એ હાલમાં બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૦૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા મગનભાઇ નરસીભાઇ સંઘાણી (ઉમર ૬૯) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ક્રાંતિ જયોત સોસાયટી પાસેથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેના બંને પગમાં ફ્રેક્ચર અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જેથી મગનભાઈ નરસીભાઇ સંઘાણીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ બાઇક ચાલકની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સ્થળે બાઈક છોડીને નાસી ગયેલા બાઇક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા કંચનબેન ધનજીભાઈ ભાગીયા નામની ૪૭ વર્ષીય મહિલા લતીપર રોડ ઉપરથી જતા હતા ત્યારે બ્રિજ નજીક તેઓનું સ્કુટી સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત કંચનબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા હુસેનભાઇ ઈસ્માઈલભાઈ વકાલીયા નામનો ૪૭ વર્ષીય યુવાન સાયકલ લઈને જતો હતો ત્યારે તેની સાયકલને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હુસેનભાઈને પણ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રીક્ષામાંથી પડી જતાં ઈજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા જયાબેન ઠાકરશીભાઈ સોનગરા નામની ૩૫ વર્ષીય મહિલા રિક્ષામાંથી અકસ્માતે નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત જયાબેન સોનગરાને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના લખધીરપુર ગામે રહેતા ભાવીશાબેન હસમુખભાઈ ખાણધર નામની ૩૨ વર્ષીય મહિલાને દવાની અસર થતા તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તેણીનો લગ્નગાળો દશ વર્ષનો હોવાનું મોરબી તાલુકા પોલીસે જણાવીને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News