મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોત સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા વૃદ્ધને બાઇકચાલકે હડફેટે લીધા હતા જેથી તેને બંને પગમાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને  સારવારમાં લઈ ગયા હતા જો કેસારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જીને બાઇક છોડીને નાસી ગયેલા બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં ફોર સ્ક્વેર-૨ ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા મૂળ માળીયા તાલુકાનાં લક્ષ્મીવાસ ગામના રહેવાસી ઉપેન્દ્રભાઈ મનભાઈ સંઘાણી જાતે પટેલ (ઉમર ૪૦) એ હાલમાં બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૦૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા મગનભાઇ નરસીભાઇ સંઘાણી (ઉમર ૬૯) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ક્રાંતિ જયોત સોસાયટી પાસેથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેના બંને પગમાં ફ્રેક્ચર અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જેથી મગનભાઈ નરસીભાઇ સંઘાણીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ બાઇક ચાલકની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સ્થળે બાઈક છોડીને નાસી ગયેલા બાઇક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા કંચનબેન ધનજીભાઈ ભાગીયા નામની ૪૭ વર્ષીય મહિલા લતીપર રોડ ઉપરથી જતા હતા ત્યારે બ્રિજ નજીક તેઓનું સ્કુટી સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત કંચનબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા હુસેનભાઇ ઈસ્માઈલભાઈ વકાલીયા નામનો ૪૭ વર્ષીય યુવાન સાયકલ લઈને જતો હતો ત્યારે તેની સાયકલને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હુસેનભાઈને પણ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રીક્ષામાંથી પડી જતાં ઈજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા જયાબેન ઠાકરશીભાઈ સોનગરા નામની ૩૫ વર્ષીય મહિલા રિક્ષામાંથી અકસ્માતે નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત જયાબેન સોનગરાને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના લખધીરપુર ગામે રહેતા ભાવીશાબેન હસમુખભાઈ ખાણધર નામની ૩૨ વર્ષીય મહિલાને દવાની અસર થતા તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તેણીનો લગ્નગાળો દશ વર્ષનો હોવાનું મોરબી તાલુકા પોલીસે જણાવીને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News