વાંકાનેરના ભલગામમાં મકાનમાંથી ૨૨૨.૮૧૦ કિલો અફીણના ડોડાના જથ્થા સાથે બે ઝડપાયા, રાજસ્થાનીની શોધખોળ
મોરબીના ગુલાબનગરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ આપઘાત કર્યો
SHARE
મોરબીના ગુલાબનગરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ આપઘાત કર્યો
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગુલાબનગર સોસાયટીની અંદર પરિણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની તપાસ શરૂ કરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા આનંદનગરની બાજુમાં ગુલાબનગરમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખાભાઈ વિકાણીના પત્ની મીનાબેન (ઉંમર ૩૭)એ પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મીનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એસ. મેસવાણીયા તપાસ કરી રહ્યા છે