મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ મેગા નેશનલ લોક અદાલતમાં ૩૮૯૫ કેસનો કરાયો નિકાલ


SHARE













મોરબીમાં યોજાયેલ મેગા નેશનલ લોક અદાલતમાં ૩૮૯૫ કેસનો કરાયો નિકાલ

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (NASA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મોરબી જીલ્લાની તમામ અદાલતો તેમજ મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એ.ડી.ઓઝાના માર્ગદર્શન હેઠળ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP MATTERS), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, ભરણપોષણના કેસો, LAR ના કેસો, બેન્કના દાવાઓ તથા પી.જી.વી.સી.એલ.ના કેસો સમાધાન માટે મુકેલા હતા અને લોકઅદાલતમાં કુલ ૪૬૫ કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું તેમજ પ્રી-લીટીગેશનના કેસો (કોર્ટમાં દાખલ નહી થયેલ કેસો) માં કુલ ૧૦૭૪ કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું તેમજ મેજીસ્ટ્રેટઓના સ્પેશીયલ સીંટીંગમાં ૨૩૫૬ કેસોનો નિકાલ થયેલ હતો અને તમામ કેસો મળીને કુલ ૨૫,૯૭,૫૯,૦૫૫ રકમનું સેટલમેન્ટ થયેલું હતું






Latest News