મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી


SHARE







શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી

મોરબીના મચ્છુ 2 ડેમની અંદર વરસાદીની પાણીની આવક ધીમે ધીમે ઘટવા લાગી છે અને ઉપરવાસમાં વરસાદ પણ ધીમો પડી ગયો છે જેથી હવે ડેમના દરવાજાની સંખ્યામાં ઘટડો કરવામાં આવેલ છે અને શનિવારે રાત્રે 8:30 વાગ્યે મચ્છુ 2 ડેમના 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યો છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબીના મચ્છુ 2 ડેમની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ તથા કેચમેંટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે આજે સવારથી મોરબીના મચ્છુ 2 ડેમમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થવા લાગી હતી જેથી ડેમના 4 દરવાજાને સવારે 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું હતું. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક સતત ડેમમાં વધી રહી હતી જેથી કરીને ક્રમશઃ સાંજ સુધીમાં ડેમના 16 દરવાજાને 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 1,08,800 ક્યુસેક કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ હતો જોકે સાંજના છ વાગ્યા પછી ઉપરવાસમાં વરસાદ ધીમો પડી ગયો છે અને કેચમેટ વિસ્તારમાં પણ વરસાદ નહીંવત છે અને વરસાદી પાણીની આવક ડેમમાં ઘટવા લાગી છે જેથી હવે ડેમના ખુલ્લા દરવાજાઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવેલ છે. હાલમાં સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે રાત્રીના 8:30 વાગ્યે મચ્છુ-2 ડેમના સાંજે જે 16 દરવાજા ખોલવામાં આવ્યા હતા તેમાંથી હવે માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા રાખવામા આવેલ છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક હજુ પણ ચાલુ છે જેથી ડેમના 4 દરવાજા ખુલ્લા રાખીને નદીમાં પાણી છોડવાનું ચાલુ જ રાખવામા આવશે.






Latest News