મોરબીના કેરાળા (હ) ગામે ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જવાથી પરિણીતાનું મોત
મોરબીમાં શંકા રાખીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
SHARE
મોરબીમાં શંકા રાખીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
મોરબીમાં સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગરમાં રહેતા પરિણીતાની તેના જ પતિએ શંકાના આધારે માથામાં દસ્તા મારીને હત્યા કરી હતી અને ત્યાર બાદ આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાની દીકરીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરેલ છે
મોરબીના વિદ્યુતનગરમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર ૫૫) ને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના હરીપાર્ક શેરી નં-૪ માં રહેતી મૃતકની દીકરી ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદી જાતે બાવાજી (ઉ.૨૪)એ તેના પિતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની માતા ભાવનાબેન સાથે તેના પતિ પ્રવિણભાઇ અવાર નવાર ઝધડો અને કંકાશ કરતાં હતા તેમજ શંકા કુશંકા કરી મારઝુડ કરતાં હતા દરમ્યાન ગત શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પિતા પ્રવિણભાઇએ લોખંડના દસ્તાના ઘા મારીને ફરિયાદીની માતાની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત (ઉ. ૫૬) રહે, વિદ્યુતનગર વાળાની ધરપકડ કરેલ છે









