મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે પાટીદાર રત્ન જયસુખભાઇની ઉપસ્થિતિ


SHARE







ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે પાટીદાર રત્ન જયસુખભાઇની ઉપસ્થિતિ

જળ એજ જીવન છે. તાજેતરમાં ગ્લોબલ કચ્છ દ્વારા ભુજ ખાતે વરસાદના પાણીની આવક, પ્રાકૃતિક ખેતી, જળ સંચય જેવા મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ખેડૂત મેડાવળાનું આયોજન કરેલ હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પણ હાજર રહ્યા હતા. અને જયસુખભાઇ પટેલ દ્વારા સાલ ઓઢાડીને પરષોત્તમ રૂપાલાનું સ્વાગત કરાયેલ હતું.

આ તકે જળ સંચયના કાર્યોની શરૂઆત કરી તેને વેગવંતા બનાવનાર પાટીદાર ભામાશા ઓ.આર. પટેલને પણ સવિષેસ યાદ કરીને સંબોધિત કરેલ હતા અને જયસુખભાઇ પટેલ પણ તેમના પદ્દચિહ્નો પર આગળ વધી રહ્યા છે અને પોતાના વ્યસ્ત સેડયુલમાંથી સમય કાઢી લોક કલ્યાણકારી સુંદર કાર્ય બદલ સવિષેસ અભિનંદન પાઠવેલ હતા.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે, વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પુરી કરવા કચ્છના કિસાનો સક્ષમ છે. દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છી ઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ  ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે.

આ તકે ગ્લોબલ કચ્છના મયંક ગાંધી, વિશાલ ગડા, ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, , અગ્રણી કેશુભાઈપટેલ, પ્રગતિશીલ અગ્રણી ખેડુતો તેમજ વિવિધક્ષેત્રના કચ્છી અગ્રણીઓ, જનપ્રતિનિધઓ અગ્રણી નગરજનો ઉપસ્ધિત રહ્યા હતા. ત્યારે કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત કરી કચ્છને નંદનવન બનાવવા તરફ પ્રયાસ કરનાર દરેકને હાર્દિક અભિનંદન પાઠવેલ હતા.






Latest News