મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયત પાસે ખનીજચોરી કરતા ઇસમો દ્રારા તોડી પડાયેલ લોખંડની એંગલ કયારે રીપેરીંગ કરાશે..?


SHARE













મોરબી જીલ્લા પંચાયત પાસે ખનીજચોરી કરતા ઇસમો દ્રારા તોડી પડાયેલ લોખંડની એંગલ કયારે રીપેરીંગ કરાશે..?

મોરબીના સામાકાંઠે જીલ્લા પંચાયત કચેરીના ગેઇટ પાસે આવેલ લોખંડની એંગલ છેલ્લા ઘણા સમયથી તુટી ગયેલ છે.જોકે તુટી ગયેલ છેકે ખનીજચોરીના વાહનો પસાર કરવા માટે એંગલો તોડી નાંખવામાં આવેલ છે..તે તપાસનો વિષય છે ત્યારે હવામાં મોતના માંચડાની જેમ લટકતી એંગલ કોઈ જાનહાની સર્જે તે પુર્વે એંગલને બદલવામાં આવે કે રીપેરીંગ કરવામાં આવે તેવી જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે જિલ્લા પંચાયત કચેરીના ગેઇટની પાસે લોખંડની એંગલ લગાવવામાં આવી હતી જેથી કરીને અહીંથી ભારે વાહનોની અવરજવર અટકાવી શકાય.પરંતુ રાજકીય આગેવાનો અને અધિકારીઓની મિલીભગતને લઈને મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બન્યા છે અને ગાંધીનગર કક્ષાએથી વિજીલન્સ ટીમ પણ સમયાંતરે ધ્યાન આપતી ન હોય તેવો ઘાટ છે તેને લીધે કરોડોની સરકારી સંપત્તિને બેરોકટોકપણે પરિવહન કરવામાં આવે છે.મુખ્ય રસ્તાઓ ઉપર વાહન પકડાય નહીં તે માટે શોર્ટકટના રસ્તાઓ શોધીને ત્યાંથી વાહનો પસાર કરવામાં આવતા હોય છે.તે રીતે જ અનેક જગ્યાઓએ લગાવવામાં આવેલી આવી લોખંડની ગ્રીલ તોડી પાડવામાં આવેલી છે.

જેમકે મોરબીના બેઠા પુલમાં આવવા જવાના બંને રસ્તે લગાવવામાં આવેલી લોખંડની મસમોટી ગ્રીલ પણ તોડી પાડવામાં આવેલ છે.તે રીતે જ સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે અને સર્કિટ હાઉસની સામે રોડ ઉપર બંને તરફ લગાવવામાં આવેલી લોખંડની મસમોટી તોતિંગ એંગલો(ગ્રીલ) પણ ખનીજ ચોરો દ્વારા ખનીજચોરીના શોર્ટકટ માટે તોડી પાડવામાં આવે છે તે રીતે જ સોઓરડી ચોકમાં કલેકટર કચેરી પાસે ભારે વાહનોના પ્રતિબંધ માટે લગાવવામાં આવેલી આ લોખંડની ગડર(ગ્રીલ) ને છેલ્લા ઘણા સમયથી તોડી પાડવામાં આવેલ છે.

પરંતુ અહીંથી પસાર થતાં અધિકારીઓને કે પદાધિકારીઓને આ નજરમાં આવતું ન હોય અંતે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશ શીરોહિયા અને નગરપાલિકાના પ્રમુખ જશવંતીબેન શિરોહીયા દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લા પંચાયત કચેરીના દરવાજાની પાસે જે લોખંડની એંગલ મુકવામાં આવેલ તે છે એંગલ તુટી ગયેલ છે અને અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય  કોઈ અનિચ્છનીય અકસ્માત બનાવ બને તે પુર્વે તાત્કાલિક એંગલનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરાયેલ છે.



Latest News