ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી પરિણીતએ કરેલા આપઘાતની તપાસ શરૂ


SHARE













મોરબીના વાવડી રોડ ઉપર રહેતી પરિણીતએ કરેલા આપઘાતની તપાસ શરૂ

મોરબી પાલિકાના મહિલા સદસ્યની પરિણીત દીકરી વાવડી રોડ ઉપર રહે છે તેને પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઈને ગઇકાલે આપઘાત કરેલ હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી માટે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર જીવન જયોત સોસાયટીમાં રહેતી પાલિકાના મહિલા સભ્ય ભાનુબેન નગવાડિયાની પરિણીત દીકરી રશમિતાબેન પ્રણવભાઈ વ્યાસ (૨૭) રહે, વાવડી રોડ મોરબી વાળીએ પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો આ બનવાની જાણ થતાં સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો મોરબી સિવિલે દોડી આવ્યા હતા આ કેસની તપાસ કરતાં પીએસઆઈ એમ.પી.સોનારા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે પરિવારિક બોલાચાલી બાદ આવેશમાં આવીને પરિણીતાએ આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે જો કે, હજુ સુધી મૂતક યુવતીના માવતર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને પરિણીતાએ કયા કરણોસર આપઘાત કરેલ છે તેની તપાસ ચાલુ કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના નવા માલણીયાદ ગામે રહેતો અને ગામ નજીકથી બાઈક લઈને જઇ રહેલ કલ્પેશ પ્રભાતભાઈ દાદરેચા નામના ૧૮ વર્ષીય યુવાનના બાઇકની આડે અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને કલ્પેશ દાદરેચાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે સંતોષ વડાપાઉં નજીક થયેલ મારામારીના બનાવમાં અનિલ રતનજીભાઈ કાંજીયા જાતે પટેલ નામના ૩૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.તેમજ મોરબીના કંડલા બાયપાસ કામધેનું પાસેની સરકારી આવાસ યોજનામાં રહેતા શબાનાબેન યુનુસભાઈ કીસમાણી નામની ૩૫ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના રાપર ગામે સીમ વિસ્તારમાં રમેશભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં જમીલાબેન લક્ષ્મણભાઈ નાયકા જાતે આદિવાસી નામની ૨૨ વર્ષીય મહિલાએ કોઇ કારણોસર ખડ બાળવાની દવા પી લેતા તેણીને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી વીરભદ્ર ભરતભાઈ ચૌહાણ નામના ૨૫ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીમાં બા ની વાડી પાસે રહેતો રાજેશ ખીમજીભાઈ વરમોરા નામનો ૪૩ વર્ષીય યુવાન વાવડી રોડ ઉપર વિનાયક હોલ નજીકથી બાઇક લઇને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રાજેશ વરમોરાને સારવારમાં ખસેડાયો હતો.






Latest News