મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ


SHARE







મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ

મોરબી શહેરમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર અને ફાયર એનઓસી માટે પાલિકા દ્વારા ધોકો પછાડવામાં આવ્યો છે. અને મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં શહેરના રહેણાંકવાણિજ્ય બાંધકામો તેમજ પાર્ટી પ્લોટસિનેમા હોલ અને સમાજની વાડી જેવા બાંધકામના ધારકોને નોટિસો આપવામાં આવી રહી છે

સરકારના આદેશ મુજબ પાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર ન હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામોને સીલ કરવા કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આસામીઓને નોટિસો આપવામાં આવી રહી છે અને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૧૫૦  જેટલા બહુમાળી, સુપર માર્કેટ તેમજ અન્ય કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ હોલપાર્ટીપ્લોટસિનેમાઘર સહિતની મિલકતો કે જેના માલિકો પાસે બાંધકામ મજૂરી નથી તેને અત્યાર સુધીમાં બે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં નિયમ મુજબ ત્રીજી આખરી નોટિસ આસામીઓને આપવામાં આવી છે જો બાંધકામ વપરાશનું પ્રમાણપત્ર કે ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો મિલકતને સીલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે






Latest News