ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત


SHARE













મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ઉમિયા નગર સોસાયટીમાં રહેતી પરિણીતા પોતાના ઘેર અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજયુ હતું જે બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

પોલીસે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા જાતે પટેલ નામની ૩૪ વર્ષીય પરિણીતા તેના ઘેર રહેણાંક મકાનમાં અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી ચંદ્રિકાબેન છનિયારાનું મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતા એ.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરિણીતાને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને લગ્નગાળો નવ વર્ષનો હતો અને તેને બે સંતાન હોવાનું જાણવા મળેલ છે.

 ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા ખાતે ઉત્તમભાઈ દુબરીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં સુનિલ જુવાનસીંગ ડાવર આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાને વાડી નજીક બારનાળ પુલ પાસે ઝેરી દવા પી લેતા તેને અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ભૂલથી સુનિલભાઈ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે અને હાલ મોરબી પોલીસે જાણ કરતાં ટંકારા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે જ્યારે માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા નાનતાબેન માભાઈ ભીલ નામની ૨૦ વર્ષીય યુવતીએ સીમ વિસ્તારમાં જીરામાં છાંટવાની દવા કોઈ કારણોસર પી લેતાં તેણીને પણ મોરબી સિવિલએ સારવારમાં લાવવામાં આવી હતી જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News