મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત

વાંકાનેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમ્યાન તે પરણિતાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી જાનકીબેન રજનીભાઈ વોરા (ઉંમર ૩૩) નામની પરિણીતાએ પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે પરિણીતાના આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હતા ધરી હતી






Latest News