મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી
Breaking news
Morbi Today

વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત

વાંકાનેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમ્યાન તે પરણિતાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી જાનકીબેન રજનીભાઈ વોરા (ઉંમર ૩૩) નામની પરિણીતાએ પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે પરિણીતાના આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હતા ધરી હતી






Latest News