મોરબી રવિવારી બજારમાંથી બાઇકની ચોરી, વાંકાનેરમાં ડુબલીકેટ ચાવીથી કારની ચોરી મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની ફરિયાદ નોંધાતાની સાથે આરોપી ઝડપાયો !


SHARE







મોરબી નજીકથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની ફરિયાદ નોંધાતાની સાથે આરોપી ઝડપાયો !

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે દુકાન નજીક પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા અમિતકુમાર નાનજીભાઇ ફળદુ જાતે પટેલ (ઉ.૩૪) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા. ૧૦/૧૦/૧૯ ના રોજ રાત્રીના સમયે તેઓએ મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ હોલિસ સિરામિક નજીક ઉમાવંશી દુકાન પાસે તેનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતો માટે તે પોતાની જાતે બાઈકને શોધતા હતા અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસે ચોરીના ગુનામાં પકડેલા આરોપી આશી ગાંડુભાઈ ઉઘરેજા જાતે કોળી (૩૫) રહે, વીસીપર વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપરથી પંચાસર ગામે રહેતા રવિરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (૨૩) નામનો યુવાન પોતાનું એક્ટિવા લઇને પસાર થતો હતો ત્યારે કાર ચાલકે સ્પીડમાં તેનો ઓવરટેક કર્યો હતો જેથી યુવાને આગળ આવીને કાર રોકવી હતી અને આવી રીતે કેમ કાર ચલાવે  છે તેવું પુછતાં કાર ચાલકે પોતાની કારમાંથી લાકડી લઈને રવિરાજસિંહ ઝાલાને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા રવિરાજસિંહ ઝાલાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાની સરતાનપર ચોકડી પાસે આવેલ દુકાન નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોહંમદ સજ્જાદ નામના ૩૧ વર્ષીય રફાળેશ્વર ગામે રહેતા યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે કરવામાં આવે છે અને આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News