મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની ફરિયાદ નોંધાતાની સાથે આરોપી ઝડપાયો !


SHARE













મોરબી નજીકથી ૨૯ મહિના પહેલા ચોરી કરવામાં આવેલા બાઈકની ફરિયાદ નોંધાતાની સાથે આરોપી ઝડપાયો !

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે દુકાન નજીક પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા અમિતકુમાર નાનજીભાઇ ફળદુ જાતે પટેલ (ઉ.૩૪) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા. ૧૦/૧૦/૧૯ ના રોજ રાત્રીના સમયે તેઓએ મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ હોલિસ સિરામિક નજીક ઉમાવંશી દુકાન પાસે તેનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતો માટે તે પોતાની જાતે બાઈકને શોધતા હતા અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસે ચોરીના ગુનામાં પકડેલા આરોપી આશી ગાંડુભાઈ ઉઘરેજા જાતે કોળી (૩૫) રહે, વીસીપર વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપરથી પંચાસર ગામે રહેતા રવિરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (૨૩) નામનો યુવાન પોતાનું એક્ટિવા લઇને પસાર થતો હતો ત્યારે કાર ચાલકે સ્પીડમાં તેનો ઓવરટેક કર્યો હતો જેથી યુવાને આગળ આવીને કાર રોકવી હતી અને આવી રીતે કેમ કાર ચલાવે  છે તેવું પુછતાં કાર ચાલકે પોતાની કારમાંથી લાકડી લઈને રવિરાજસિંહ ઝાલાને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા રવિરાજસિંહ ઝાલાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાની સરતાનપર ચોકડી પાસે આવેલ દુકાન નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોહંમદ સજ્જાદ નામના ૩૧ વર્ષીય રફાળેશ્વર ગામે રહેતા યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે કરવામાં આવે છે અને આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News