મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત


SHARE













મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પતિ સાથે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું લાગી આવતા મહિલાએ એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ભગવતી એપાર્ટમેન્ટની અંદર હાલમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી જનકભાઈ તમતાના પત્ની કલ્પનાબેન (ઉંમર ૩૩) એ ભગવતી એપાર્ટમેન્ટની અંદર બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણીયાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મૃતક કલ્પનાબેનને તેના પતિ જનકભાઈ સાથે મોડી રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને મૃતક પરિણીતાને બે સંતાન હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News