મોરબીના ઘૂંટુ ગામે યુવાને ઘરની અંદર ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીના ઘૂંટુ ગામે યુવાને ઘરની અંદર ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી તાલુકાના ઘૂંટુ ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ઘુટુ ગામે રહેતા રાજુભાઇ કેશુભાઈ ભલગામડિયા (૩૫)એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને અશોકભાઈ મનજીભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તેની વિગતો હજુ સુધી સામે આવી નથી