મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર
SHARE
મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર
જ્યારે પણ ઘરના કોઈ સ્વજનનું અવસાન થાય છે ત્યારે જેતે પરિવાર દ્વારા યથાશકિત સદગતની પાછળ કોઈને કોઈ રીતે સતકર્મો કરવામાં આવતા હોય છે.ત્યારે મોરબીના બંધુનગર ગામના હાંસલપરા પરિવાર દ્વારા સદગતની પાછળ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તેમના પરિવારના વૃદ્ધાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતુ.
સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંના સ્મરાણર્થે તેમના પરિવારજનો દ્વારા રેફરિજરેટરનું વૃધ્ધાશ્રમમાં દાન કરવામાં આવ્યુ હતુ.સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગરવાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાંં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ હતુ.