મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર
મોરબીના લાલપર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગોના અટકાયત માટે સઘન સર્વે હાથ ધરાયો
SHARE
મોરબીના લાલપર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગોના અટકાયત માટે સઘન સર્વે હાથ ધરાયો
ગુજરાત સરકારના "મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨" ઉદેશ્યને સાકાર કરવા આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાની સૂચના અને પ્રા.આ.કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશાનુસાર સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી, આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, ચેતનાબેન ચૌહાણ તથા સબ સેન્ટરોના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી, બી.ટી.આઈ. છંટકાવ, સોર્સ રીડક્શન, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ, વહેલું નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવા માં આવી હતી.