મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા
Breaking news
Morbi Today

મોરબીના વાધરવા પાસે કારનું ટાયર ફાટતા પાંચને ઇજા, ત્રણને રાજકોટ ખસેડાયા


SHARE













મોરબીના વાધરવા પાસે કારનું ટાયર ફાટતા પાંચને ઇજા, ત્રણને રાજકોટ ખસેડાયા

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા વાધરવા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં અલ્ટો કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપરથી આવતા આઇશરની સાથે અથડાતાં કારમાં બેઠેલા પાંચ પૈકી ત્રણને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ લઇ જવાયા છે અને બે ને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાધરવા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં અલ્ટો કારમાં જતાં ભુજના રહેવાસી પાંચ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.અલ્ટો કારનું ટાયર ફાટવાથી કાર ડિવાઈડર કુદીને સામેના રોડ ઉપરથી આવી રહેલ આઈસરની સાથે અથડાઈ હતી જે બનાવમાં ભુજના રહેવાસી પાંચ પૈકીના હરદેવસિંહ રાણા (૪૫), અરૂણાબા હરદેવસિંહ (૪૫) અને કોકિલાબા (૪૫) ને ઇજાઓ થઇ હોય તેઓને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ત્રણેયને રાજકોટ લઇ જવાયા છે.જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.ઇજાગ્રસ્તો ભુજના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે હાલ એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.

બે બાઇક સામસામે અથડાતાં આધેડને ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પુજારા મોબાઈલ પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં કારખાનેથી પરત ઘર તરફ જઈ રહેલા રફિકભાઈ અલારખાભાઈ મીર (ઉમર ૫૪) રહે.વજેપર શેરી નંબર-૧૧ નામના આધેડને ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારા તાલુકાના ખોડાપીપર ગામે નદી નજીક બાઇક સ્લીપ થઇ જતાં પડધરી નજીકના ખાખરાબેલા ગામના વતની મનોજસિંહ રણજિતસિંહ જાડેજા નામના ૪૮ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.

અજાણી દવા પી લેતા વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના બાદનપર ગામના રહેવાસી કરસનભાઈ વાલજીભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધે કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને અસર થવાથી અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા ત્યાંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલ તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News