મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન


SHARE













મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન

મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ શહેરના જુદાજુદા વિસ્તારમાં રાષ્ટ્રીય કથા રાખવામા આવી છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે ત્યારે દેશભક્તિને ઉજાગર કરતા જુદાજુદા કાર્યક્રમો નગરજનોને જોડાવવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે

૧૯૩૧ની ૨૩ મી માર્ચના રોજ દેશના સપૂતો શહીદ ભગતસિંહસુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી જેને દેશમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદોની સ્મૃતિમાં તા. ૨૩ થી ૨૭ સુધી દેશભક્તિના જુદાજુદા સ્થળ ઉપર રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે જો કે, ૨૩ તારીખે સાંજે પાંચ કલાકે જીઆઈડીસીથી શરૂ થઈને રત્નકલાના મેદાન સુધી અમરજવાન સ્મૃતિ રેલી યોજવાની છે

વધુમાં માહિતી આપતા મહેશભાઇ ભોરણીયાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય કથાનું આયોજન આ એક જ જગ્યાએ ન કરીને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર એક એક દિવસ કથા યોજાશે જેમાં તા ૨૩ ગ્રીનસીટી રમકો બંગલો સામે, તા ૨૪ કાશી વિશ્વનાથ મંદિર આલાપ પાર્ક, તા ૨૫ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ, તા ૨૬ પંચાસર રોડ રાજનગર મહાદેવ પાન પાસેનું મેદાન અને તા ૨૭ ના રોજ સુભાષનગર ગરબી ચોકમાં આ રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરજનોએ તેનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News