મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર


SHARE













મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર

ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી સોમવારથી શરૂ થવાની છે ત્યારે ધોરણ ૧૦, અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના નિયમિત, રીપીટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે જેમાં મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ મળીને ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે

આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે.પરંતુ આ વખતે તા.૨૭-૩ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ-૩) નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે.જેથી ધોરણ ૧૦, અને ધોરણ ૧૨ ના પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭-૩ રવિવારના બપોરે ૪ થી ૬ સુધીમાં કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જીલ્લામાં ધો. ૧૦ ના ૧૨,૮૪૪ વિદ્યાર્થીઓ માટે ૪૭ બિલ્ડીંગમાં ૪૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા રાખવામા આવી છે તો ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૨૨૭ વિદ્યાર્થીઓ માટે ૨૦ બિલ્ડીંગમાં ૨૧૯ બ્લોકમાં બેઠક વ્યવસ્થા અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૪૯૯ વિદ્યાર્થીઓ માટે ૮ બિલ્ડીંગમાં ૧૦૦ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે

નામ નોધણી કેમ્પ યોજાશે

સાંસદ આર્દશ ગ્રામયોજના અન્વયે નામ નોધણી કેમ્પ અને  સેમીનારનું આયોજન જિલ્લા  રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આત્મીય કોમ્પુટર, રવાપર રોડ ખાતે તા.૨૯/૦૩ ના રોજ બપોરે 0૩:00 કલાકે આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોને રોજગારલક્ષી સેવા, કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે નોધણી કરવામાં આવશે જે નોધાયેલ ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા યોગ્ય માર્ગદર્શન થી ઉજવળ કારકિર્દી  બનાવી શકાય એ હેતુથી નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી વિસ્તાર, મોરબી. વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News