મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી


SHARE







માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી

મોરબીના ઉદ્યોગકારોની માઠી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, એક પછી એક માઠા સમાચારો સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગેસ અને કોલસાની તો રામાયણ ચાલી જ રહી છે તેવામાં આગામી સમયમાં વીજળી એટ્લે કે ઇલેક્ટ્રીકસિટીની કટોકટી સામે આવી રહી છે જેથી કરીને કારખાનાના કારખાનેદારોને કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે

હાલમાં પી.જી.વી.સી.એલ.નાં અધિક મુખ્ય ઈજનેર વી.એલ.ડોબરીયાએ સોશ્યલ મીડિયામાં મેસેજ મૂકીને મોરબીના ઉદ્યોગકારો સહિતના વીજ કંપનીના ગ્રાહકોને વીજ સપ્લાઈની કટોકટીના એંધાણના સંકેત આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને લીધે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદ અંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજ ખાધ ઉભી થવા પામેલ છે જેને ધ્યાને રાખીને પી.જી.વી.સી.એલ. મોરબીના ગ્રાહકોને વીજ જોડાણમાં જે કરારિત વીજ ભાર છે તેની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા માટે અને બિન જરૂરી વીજ વપરાશ એટલે કે વિજ વેડફાટ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે અને વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. અને જો કોઈ ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News