મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી


SHARE













માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી

મોરબીના ઉદ્યોગકારોની માઠી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, એક પછી એક માઠા સમાચારો સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગેસ અને કોલસાની તો રામાયણ ચાલી જ રહી છે તેવામાં આગામી સમયમાં વીજળી એટ્લે કે ઇલેક્ટ્રીકસિટીની કટોકટી સામે આવી રહી છે જેથી કરીને કારખાનાના કારખાનેદારોને કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે

હાલમાં પી.જી.વી.સી.એલ.નાં અધિક મુખ્ય ઈજનેર વી.એલ.ડોબરીયાએ સોશ્યલ મીડિયામાં મેસેજ મૂકીને મોરબીના ઉદ્યોગકારો સહિતના વીજ કંપનીના ગ્રાહકોને વીજ સપ્લાઈની કટોકટીના એંધાણના સંકેત આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને લીધે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદ અંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજ ખાધ ઉભી થવા પામેલ છે જેને ધ્યાને રાખીને પી.જી.વી.સી.એલ. મોરબીના ગ્રાહકોને વીજ જોડાણમાં જે કરારિત વીજ ભાર છે તેની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા માટે અને બિન જરૂરી વીજ વપરાશ એટલે કે વિજ વેડફાટ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે અને વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. અને જો કોઈ ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News