મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો


SHARE

















મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ૧૩૦ થી વધારે ખેડૂત મિત્રો તેમાં હાજર રહ્યા હતા

ત્યારે જીએસએફસીના ચીફ માર્કેટિંગ મેનેજર જી.કે. પટેલ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને જી.એન.એફ.સી. દ્વારા ઉત્પાદિત લીમડાયુક્ત દવા તેમજ લીંબોળીના ખોળની અગત્યતા અને કાર્ય પધ્ધતિ સમજાવી હતી. આ કેન્દ્રના વડા ડૉ.જીવાણીએ વિજ્ઞાન કેન્દ્રના કાર્ય વિશે સમજણ આપી હતી. ડી.એ સરડવા વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ જમીનમાં સેન્દ્રીય કાર્બનનુ મહત્વ એટલે કે જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાકૃતિક ખેતી સંયોજક દાજીબાપુ માથક ગામેથી ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના મૂળભૂત અંગ જેવા કે જીવામૃત અને બીજામૃત કઈ રીતે બનાવી ખેતીના પાકમાં ઉપયોગ કરી શકાય તે અંગે પોતાના જાત અનુભવ વિશે માહિતી આપી હતી. તો ભરતભાઈ પરસાણા (રાજકોટ) એ દૂધ ગોળના પ્રયોગ વિષે સમજણ આપી હતી. આ પ્રસંગે વડાલ (જુનાગઢ)ના પ્રગતિશીલ ખેડૂત હેમલભાઈ મહેતા તેમજ હિતેશભાઈ દોમણીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા આચ્છાદન અને મિશ્ર પદ્ધતિ કઇ રીતે અપનાવી શકાય તે અંગે પોતાના જાત અનુભવોનું વર્ણન કર્યું હતું.

જીએસએફસીના એરીયા મેનેજર વી.એમ.વઘાસીયા દ્વારા પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનાં વેચાણ વ્યવસ્થા માળખાકીય વ્યવસ્થા ઊભી કરવા આ અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમની આભારવિધિ એમ.કે.સનારીયા એરિયા મેનેજર દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમ સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને જીએનએફસી મોરબીના અન્ય અધિકારી-કર્મચારીએ જહેમત ઉઠાવી હતો 




Latest News