મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો


SHARE













મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ૧૩૦ થી વધારે ખેડૂત મિત્રો તેમાં હાજર રહ્યા હતા

ત્યારે જીએસએફસીના ચીફ માર્કેટિંગ મેનેજર જી.કે. પટેલ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને જી.એન.એફ.સી. દ્વારા ઉત્પાદિત લીમડાયુક્ત દવા તેમજ લીંબોળીના ખોળની અગત્યતા અને કાર્ય પધ્ધતિ સમજાવી હતી. આ કેન્દ્રના વડા ડૉ.જીવાણીએ વિજ્ઞાન કેન્દ્રના કાર્ય વિશે સમજણ આપી હતી. ડી.એ સરડવા વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ જમીનમાં સેન્દ્રીય કાર્બનનુ મહત્વ એટલે કે જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાકૃતિક ખેતી સંયોજક દાજીબાપુ માથક ગામેથી ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના મૂળભૂત અંગ જેવા કે જીવામૃત અને બીજામૃત કઈ રીતે બનાવી ખેતીના પાકમાં ઉપયોગ કરી શકાય તે અંગે પોતાના જાત અનુભવ વિશે માહિતી આપી હતી. તો ભરતભાઈ પરસાણા (રાજકોટ) એ દૂધ ગોળના પ્રયોગ વિષે સમજણ આપી હતી. આ પ્રસંગે વડાલ (જુનાગઢ)ના પ્રગતિશીલ ખેડૂત હેમલભાઈ મહેતા તેમજ હિતેશભાઈ દોમણીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા આચ્છાદન અને મિશ્ર પદ્ધતિ કઇ રીતે અપનાવી શકાય તે અંગે પોતાના જાત અનુભવોનું વર્ણન કર્યું હતું.

જીએસએફસીના એરીયા મેનેજર વી.એમ.વઘાસીયા દ્વારા પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનાં વેચાણ વ્યવસ્થા માળખાકીય વ્યવસ્થા ઊભી કરવા આ અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમની આભારવિધિ એમ.કે.સનારીયા એરિયા મેનેજર દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમ સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને જીએનએફસી મોરબીના અન્ય અધિકારી-કર્મચારીએ જહેમત ઉઠાવી હતો 






Latest News