મોરબીના હાઉસિંગ બોર્ડ માં ભાજપના કર્મઠ કાર્યકર પરબતભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી જલારામ મંદિર ખાતે હરીચરણદાસજી મહારાજના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયો
SHARE
મોરબી જલારામ મંદિર ખાતે હરીચરણદાસજી મહારાજના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયો
સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજી ગુરૂજીના શિષ્યો દ્વારા ગુરૂજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમા બહોળી સંખ્યા મા ભક્તજનોએ ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન સહીતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હત આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, પરેશભાઈ કાનાબાર, જીજ્ઞેશભાઈ પોપટ, સાગરભાઈ જોબનપુત્રા, નેહલભાઈ કોટક, જીતુભાઈ રાજવીર, ભરતભાઈ કાનાબાર, શ્રી જલારામ સેવા મંડળ તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અગ્રણીઓ સહીતના ગુરૂભક્તો એ જહેમત ઉઠાવી હતી.તેવુ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે