Morbi Today
મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું
મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. સરકારી કર્મચારી મંડળના મિત્રો દ્વારા સમાજના કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું.જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને દુષણો અને કુરિવાજોથી દૂર રહે તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.હાલમા જ સમાજના એક કર્મચારીનું અકાળે નાની ઉંમરે અવસાન થયું તેમના બાળકો અને પરિવારજનોના ભવિષ્ય માટે મદદની અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સમાજના તમામ વિભાગના કર્મચારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.









