મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે બેઠક યોજાઇ
વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
SHARE
વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ આગાઉ મતગણતરી કરવામાં આવી હતી જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ હતી માટે ૩૧ મતની ગણતરી હજુ થયેલ ન હતી જો કે, ચાર પિટિશન કરી હતી તેનો નિકાલ કરવામાં આવ્યો છે જેથી હાલમાં વાંકાનેર યાર્ડમાં વહીવટદાર મૂકવામાં આવેલ છે અને આગામી ૧૯ મી તારીખે જે ૩૧ મતોની ગણતરી કરવાની બાકી છે તેમાંથી ૧૮ મતનોને ગણવામાં આવશે અને બાકીના ૧૩ મતોની પિટિશન કોર્ટે રદ કરી છે માટે તેને ગણવામાં આવશે નહિ
મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ગત જાન્યુઆરી માહિનામાં યોજાઇ હતી જો કે, જુદીજુદી મંડળીના મત માટે બંને પક્ષેથી પિટિશન કરવામાં આવી હતી જેથી કરીને ત્રણ મંડળીના ૩૧ મતને ગણવામાં આવ્યા ન હતા જેથી કરીને વાંકાનેર માર્કેટ યાર્ડના શાસકોએ વહીવટદાર ન મુકાય તે માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી જે પિટિશન સહિતની કુલ મળીને ચાર પિટિશન કરવામાં આવી હતી તેનો નિકાલ કરવામાં આવેલ છે અને હાઈકોર્ટમાં કરવામાં આવેલ પિટિશનમાંથી પલાસ મંડળીના ૧૮ મત ગણવામાં આવશે જો કે, પંચાસિયા ૧૦ અને તીથવા મંડળીના ૩ આમ કુલ મળીને ૧૩ મત માટે જે પિટિશન કરી હતી તેને રદ કરવામાં આવી છે અને આગામી તા ૧૯/૪ ના રોજ તે મતની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ વાંકાનેર યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે જો કે, હાલમાં વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદારને મૂકવામાં આવેલ છે