મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં દર વર્ષે મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવાનું હોય છે તેવી જ રીતે આજે મહાવીર જયંતિ નિમિત્તે મોરબીના દરબારગઢ પાસે આવેલ દેરાસર ખાતેથી શહેરમાં સનાળા રોડ ઉપર આવેલ દેરાસર સુધીની ભવ્ય શોભાયાત્રાનું જૈન સમાજના વિવિધ સંગઠનો દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર મોટા પ્રમાણમાં સમાજના ભાઈઓ બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ શોભાયાત્રાની અંદર જૈન સમાજના મહારાજ સાહેબ તેમજ મહાસતીજી પણ હાજર રહ્યા હતા અને તેઓએ આશિર્વચન પાઠવ્યા હતા આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ બહેરું ગેઇટ ચોકમાં હાજર રહ્યા હતા અને તેઓએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારે જૈન સમાજના આગેવાનો દ્વારા તેનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું અને મહારાજ સાહેબે તેઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોની અંદરથી પસાર થતી આ શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડાપીણા, ઠંડી છાશ, પાણી વિગેરેની વ્યવસ્થા જૈન સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.

​ભગવાન મહાવીર સ્વામીનો ૨૬૨૦ મો જન્મોઉત્સવ ઉજવાયો હતો.મોરબીના આગણે ધામધુમથી ભગવાનની રથયાત્રા દરબારગઠથી બોઈઝ હાઈસસ્કુલ સુધી યોજાઇ હતી. મોરબી જૈન સંધના ટ્રસ્ટીઓ તેમજ ધમઁનાથ યુવક મંડળ દ્રારા મયુરનગરીમાં આનંદનો ઉત્સહ જોવા મળ્યો હતો. દરબારગઠથી લઈને શીતલ જલ સેવાનો સ્ટોલ તેમજ રસતા પર ચાલતા રથયાત્રા દરમીયાન શીતલ જલ સેવાનું સુખડીયા સંજયભાઈ શેઠ (સંજય કેટરસ) દ્રારા આયોજન કરાયુ હતુ. સ્થાનકવાસી જૈન યુવક મંડળ, જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ઠંડી છાસ, વઘારેલી શાક અને ઠંડા પાણી-સરબતનું આયોજન કરવામાં આવ્યુ હતુ.






Latest News