ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયામાં યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE













મોરબીના પીપળીયામાં યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નવલખી હાઈવે રોડ પર આવેલ પીપળીયા ગામે રહેતા પોપટભાઈ ભુંડિયા જાતે ભરવાડની દીકરી જીતુબેન (ઉમર ૧૭) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવતીનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને યુવતીએ કયા કારણોસર પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધેલ છે..? તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરેલ છે.જોકે નજીકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કામ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો તે બાબતનું મનોમન લાગી આવવાથી જીતુબેનએ ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું બીન આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આધેળનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામના વતની માવજીભાઈ નરસંગભાઈ બોરીચા (ઉંમર ૪૮) નામના આધેડ બેભાન થઈ જતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી બનાવ માળીયા પોલીસની હદમાં બન્યો હોય માળીયા પોલીસને બનાવની જાણ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારના રહેવાસી હસનઅલી ગુલામનબી નામનો ૨૦ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News