ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે


SHARE













મોરબીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે

તા.૧૭ એપ્રિલ એટલે વિશ્વ હિમોફિલિયા દિવસ.હિમોફિલિયાએ લોહીનો વંશ-વારસાગત રોગ છે.તેનાંથી ડરવાની નહી પણ સંભાળવાની જરૂર છે.તેના અનુસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયેલ હોય તેમાં ભાગ લેવા અપીલ કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારાં તા.૧૭ એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ કેજે વિશ્વભરમાં હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં લોક જાગૃતિ જગાડવાનાં હેતુથી મનાવવામાં આવે છે તે નિમિતે સ્પર્ધાનું આયોજન  કરાયેલ છે.હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્ત ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે.જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે.આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો એ માટે જાગૃતિ લાવવા  વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઘરબેઠાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નના જવાબનો વિડીયો બનાવવાના રહેશે.કટેગરી-૧ (ધો.૧ થી ૪) પ્રશ્ન આપણાં લોહીનો રંગ કેવો હોય છે.ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહી નીકળવા માંડે તો તમે શું કરશો ? કેટેગરી-૨ (ધો.૫ થી ૮) પ્રશ્ન રંગસૂત્રો એટલે શું ? ગંભીર ઈજાઓમાં તાત્કાલિક સારવાર આપવા તમે શું શું કરો ? કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) પ્રશ્ન માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ? હિમોફિલિયાના દર્દીને કઈકઈ સારવાર ન કરવી જોઈએ.કેટેગરી-૪ કોલેજનાં વિધાર્થીઑ,શિક્ષકમિત્રો.તથાવાલીઓ માટે પ્રશ્ન હિમોફિલિયા રોગ લોહીનો વંશવારસાગત રોગ છે.તેની સારસંભાળ તથા રોકવાનાં ઉપાય સમજાવો.આ અંગેના વિડીઓ બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર છેલ્લી તા.૧૭-૪ રાત્રીના નવ વાગ્યા પહેલા મોકલી આપવાના રહેશે






Latest News