મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો

સદીના મહાનાયક, ભારતરત્ન પૂ.બાબાસાહેબ અંબેડકરજીની ૧૩૧ મી જન્મજયંતિના પાવન અવસરે ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પાવન પ્રસંગે ડો. આંબેડકરજીની પ્રતિમાને આરએસએસના કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા અને વિશેષમાં આ વિસ્તારમાં ચાલતા શિવણ કેન્દ્ર ખાતે ડો.બાબાસાહેબના એકાત્મ ભારતના સંદર્ભે વિચાર અંગે પ્રવચન રાખવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે રાજેશભાઇ બદ્રકિયાએ ડો.બાબાસાહેબ દ્વારા સમગ્ર હિન્દુસમાજની એકતા, બંધુતા અંગે ઉત્કૃષ્ટ કાર્ય કરેલા તે વિશેની વાત કરી હતી અને લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, પ્રચારક હસમુખભાઈ પટેલ, વિજયભાઈ રાવલ, રણછોડભાઈ કુંડારિયા, જેઠાભાઇ કવૈયા ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાઓ વિનુભાઈ, રાહુલભાઈ, આરતીબેન શુકલા, ભૂમિબેન તથા અન્ય ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News