મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ભજન અને વિશ્વાસનું ધન જેની પાસે છે તેને જ ખરા અર્થમાં ધન્ય જીવન કહેવાય: કનકેશ્વરીદેવી


SHARE









ભજન અને વિશ્વાસનું ધન જેની પાસે છે તેને જ ખરા અર્થમાં ધન્ય જીવન કહેવાય: કનકેશ્વરીદેવી

મોરબી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ચાલતી રામકથામાં કનકેશ્વરીદેવીજીએ કહ્યું હતુ કે, જીવ જગત એને ઈશ્વર આ ત્રણ જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી આત્મા તૃપ્તિ નહીં થાય પરંતુ જેના પાસે ભજન અને વિશ્વાસ નામનું ધન છે તેમને જ ખરા અર્થમાં ધન્ય જીવન કહેવાય. અંત:કરણ સારું બનાવવા માટે સમયે સમયે તીર્થોમાં જઇને ભજન કરવું જોઇએ. જે ભગવાનની સન્મુખ થય જાય એના માટે વેહવાર કે પરમાર્થ કઠીન નથી જળ બુદ્ધિનું છુંટવું એટલે દેહાભિમાનનું છુંટવું જેના લીધે જીવ હળવો ફુલ જેવો બની જાય છે.જે ધર્મ ગ્રંથની ભાષાને ન સમજે તેને કાળ સતાવે છે માટે જીવન ભગવાને બતાવેલ માર્ગે વ્યતીત કરવુ જોઇઓ. ભગવાનને પણ હારવું ગમે પણ ફકત પોતાના ભકતો પાસે માટે દરેક મનુષ્યએ પોતાના કર્તવ્યોનું ચિંતન સતત કરતા રહેવું જોઈએ. ગુરુમહારાજના સાનિધ્યમાં શિષ્ય જેટલો નાનો બને એટલો જ તે સમાજમાં મોટો બની શકે છે. ભગવાન જેના જીવનમાં આવે તેને કોઈ ધટના અમંગલ લાગતી જ નથી. દરેક મનુષ્યના જીવનમાં એક ઈષ્ટદેવ હોવો જરૂરી છે. આ કથામાં આરડીસી બેન્કના ચેરમેન જયેશભાઇ રાડદિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા અને કચ્છ તેમજ પાટણ આહીર સમાજના અધ્યક્ષ ત્રિકમભાઇ વાસણભાઇ આહીર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News