મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર


SHARE









મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને ચાર્જ કરવા અને સાચી વાત પ્રજા સામે મૂકીને આજે જ્યારે મોંઘવારીમાં માણસ પીસાઈ રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવા માટે રણનીતિ તૈયાર કરવાના ભાગરૂપે આવતીકાલે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ માટે તાલીમ શિબીર આવતી કાલ તા.૧૬-૪ ને શનિવારે યોજાશે.જેમા મોરબી જીલ્લાના તમામ હોદેદારો આગેવાન અને કાર્યકરોને હાજર રબેવા જણાવાયેલ છે. એઆઈસીસી દ્વારા પક્ષના હોદેદાર માટે આ તાલીમ શીબીર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતી સંજોગો અને પડકારોના સંદર્ભમાં આવી તાલીમ શિબીરની આવાસ્યક્તા છે નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં કોંગી સંગઠનને મજબૂત બનાવવા તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારી માટે કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે આ તાલીમ શિબીરનું આયોજન કરાયેલ લ છે જેમાં એઆઈસીસી અને પીસીસીના નિરીક્ષકો અને તાલીમકાર (ટ્રેનર) તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામ કિશનજી ઓઝા હાજર રહેશે માટે મોરબી જીલ્લા, શહેર તેમજ તાલુકા તેમજ દરેક ફ્રંટલ-સેલના હોદેદારો તેમજ સંયોજક અને આગેવાનોએ તાલીમ શિબીરમાં ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવે છે.આવતી કાલ તા.૧૬-૪ ને શનિવાર સવારે ૯  કલાકે શિવ હોલ શનાળા રોડ સમયના ગેટ પાસે મોરબી ખાતે યોજાનાર શિબીરમાં જોડાવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિલાલ જે.પટેલ યાદીમાં જણાવેલ છે.






Latest News