મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર


SHARE















મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને ચાર્જ કરવા અને સાચી વાત પ્રજા સામે મૂકીને આજે જ્યારે મોંઘવારીમાં માણસ પીસાઈ રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવા માટે રણનીતિ તૈયાર કરવાના ભાગરૂપે આવતીકાલે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ માટે તાલીમ શિબીર આવતી કાલ તા.૧૬-૪ ને શનિવારે યોજાશે.જેમા મોરબી જીલ્લાના તમામ હોદેદારો આગેવાન અને કાર્યકરોને હાજર રબેવા જણાવાયેલ છે. એઆઈસીસી દ્વારા પક્ષના હોદેદાર માટે આ તાલીમ શીબીર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતી સંજોગો અને પડકારોના સંદર્ભમાં આવી તાલીમ શિબીરની આવાસ્યક્તા છે નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં કોંગી સંગઠનને મજબૂત બનાવવા તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારી માટે કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે આ તાલીમ શિબીરનું આયોજન કરાયેલ લ છે જેમાં એઆઈસીસી અને પીસીસીના નિરીક્ષકો અને તાલીમકાર (ટ્રેનર) તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામ કિશનજી ઓઝા હાજર રહેશે માટે મોરબી જીલ્લા, શહેર તેમજ તાલુકા તેમજ દરેક ફ્રંટલ-સેલના હોદેદારો તેમજ સંયોજક અને આગેવાનોએ તાલીમ શિબીરમાં ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવે છે.આવતી કાલ તા.૧૬-૪ ને શનિવાર સવારે ૯  કલાકે શિવ હોલ શનાળા રોડ સમયના ગેટ પાસે મોરબી ખાતે યોજાનાર શિબીરમાં જોડાવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિલાલ જે.પટેલ યાદીમાં જણાવેલ છે.






Latest News