મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર ચોથા માળેથી પટકાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE















મોરબીના કંડલા બાયપાસ ઉપર ચોથા માળેથી પટકાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચોથા માળેથી નીચે પટકાયેલા મૂળ ટંકારાના રહેવાસી યુવાનને મોરબી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ચોથા માળેથી નીચે પટકાતાં દિલીપ લક્ષ્મણભાઈ લાખાણી (ઉમર ૩૦) રહે.વીરપર તાલુકો ટંકારાને બંને પગના ભાગે ઇજાઓ થઇ હોય તેને અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.અહીં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના લીલાપર ગામે રહેતી ખુશી જગદીશભાઈ રાઠોડ નામની ૯ વર્ષીય બાળકી રિક્ષામાં બેસીને જતી હતી ત્યારે ગામ નજીક તે રિક્ષા અને ટ્રેકટરની અથડામણ થઇ હતી.આ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ખુશી રાઠોડ નામની ૯ વર્ષીય બાળકીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના રાધાપાર્ક શેરી નંબર-૧ માં રહેતા પ્રકાશભાઈ પ્રભુભાઈ દેથરીયા નામના ૫૧ વર્ષીય આધેડ બાઈક લઈને જેતપર રોડ ઉપરથી જતા હતા ત્યારે જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક તેમના બાઇક આડે કુતરૂ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈ દેથરીયાને સારવાર માટે અહિંના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર કૌચલની વાડીમાં રહેતા અમૃતબેન વાલજીભાઈ ચાવડા નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને માળીયા હાઈવે ઉપરથી જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા અમૃતબેન ચાવડાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News