મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ

હનુમાન જયંતીના દિવસે મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસર બાગ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિનેશભાઇ વડસોલા(શૈક્ષીક મહાસંઘ), લલિતભાઈ ભાલોડીયા તેમજ મહેશભાઈ (આરએસએસ), કિશોરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી) વગેરે હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ક્રિડાભારતી વિશે તેમજ જીવનમાં ખેલ કુદનું મહત્વ સમજાવતી માહિતી આપેલ અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળામાંથી ૧૯ શાળાએ અંડર – ૧૪ અને અંડર – ૧૭  માં કુલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં ક્રિડા ભારતી મોરબી તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને હનુમાન ચાલીસા આપવામાં આવી. આ સ્પર્ધાના ફાઈનલમાં અંડર- ૧૪ માં આદર્શ નિવાસી શાળા અને અંડર- ૧૭ માં આર્ય વિધાલય ટંકારની ટિમ  વિજેતા થયેલ છે અને અંતમાં ક્રિડા ભારતીના મંત્રી હિતુભાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાઓને અભિનંદન પાઠવેલ અને તમામ ટીમના કોચ અને નિર્ણાયકઓને ક્રિડા ભારતી તરફથી યાદગારી સ્વરૂપે સ્મૃતિપત્ર આપવામાં આવેલ હતું આ કાર્યક્રમનું સંચાલન કૌશલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. અને રેફરી તરીકે ધર્મરાજસિંહ તેમજ જાગૃતિબેન વગેરેએ ફરજ બજાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહ મંત્રી ધર્મેન્દ્રભાઈ સહિતના ક્રીડા ભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News