ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ

હનુમાન જયંતીના દિવસે મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસર બાગ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિનેશભાઇ વડસોલા(શૈક્ષીક મહાસંઘ), લલિતભાઈ ભાલોડીયા તેમજ મહેશભાઈ (આરએસએસ), કિશોરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી) વગેરે હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ક્રિડાભારતી વિશે તેમજ જીવનમાં ખેલ કુદનું મહત્વ સમજાવતી માહિતી આપેલ અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળામાંથી ૧૯ શાળાએ અંડર – ૧૪ અને અંડર – ૧૭  માં કુલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં ક્રિડા ભારતી મોરબી તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને હનુમાન ચાલીસા આપવામાં આવી. આ સ્પર્ધાના ફાઈનલમાં અંડર- ૧૪ માં આદર્શ નિવાસી શાળા અને અંડર- ૧૭ માં આર્ય વિધાલય ટંકારની ટિમ  વિજેતા થયેલ છે અને અંતમાં ક્રિડા ભારતીના મંત્રી હિતુભાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાઓને અભિનંદન પાઠવેલ અને તમામ ટીમના કોચ અને નિર્ણાયકઓને ક્રિડા ભારતી તરફથી યાદગારી સ્વરૂપે સ્મૃતિપત્ર આપવામાં આવેલ હતું આ કાર્યક્રમનું સંચાલન કૌશલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. અને રેફરી તરીકે ધર્મરાજસિંહ તેમજ જાગૃતિબેન વગેરેએ ફરજ બજાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહ મંત્રી ધર્મેન્દ્રભાઈ સહિતના ક્રીડા ભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News