મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
ટંકારાના બે વેપારી પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ત્રિપુટી હાલમાં રિમાન્ડ ઉપર
SHARE
ટંકારાના બે વેપારી પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ત્રિપુટી હાલમાં રિમાન્ડ ઉપર
ટંકારામાં બે વેપારીને ફોન ઉપર પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપીને કુલ મળીને ૧૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીના કોર્ટે સોમવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસ તેની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે
ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭) ને અલગ-અલગ નંબરો ઉપરથી ફોન આવ્યા હતા અને તેની પાસેથી અજાણ્યા વ્યક્તિએ પૈસા પડાવવા માટે તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આવી જ રીતે ટંકારામાં લતીપર રોડ ઉપર દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારાને પણ તેઓના મોબાઈલ નંબર ૯૪૨૮૮ ૯૩૨૧૩ ઉપર અલગ-અલગ મોબાઈલ નંબરો ઉપરથી પૈસા પડાવવા માટે થઈને ફોન આવતા હતા અને તેઓને પણ તેમને તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે હર્ષિત બેચારભાઈ ઢેઢી રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા (૧૯), પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા (૨૦) રહે. લો વાસ ટંકારા અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા વાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા જેથી કોર્ટે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીઓની પોલીસે હાલમાં ખંડણીના ગુનામાં ધરપકડ કરી હતી અને ફરિયાદી અરવિંદભાઈ સવજીભાઈ કકાસણીના પિતા સવજીભાઈ કકાસણીની હત્યા પણ આ આરોપીઓએ જ કરી હતી જેથી તે ગુનામાં આગામી સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે









