મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

ટંકારાના બે વેપારી પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ત્રિપુટી હાલમાં રિમાન્ડ ઉપર 


SHARE













ટંકારાના બે વેપારી પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ત્રિપુટી હાલમાં રિમાન્ડ ઉપર 

ટંકારામાં બે વેપારીને ફોન ઉપર પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપીને કુલ મળીને ૧૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીના કોર્ટે સોમવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસ તેની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે

ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭) ને અલગ-અલગ નંબરો ઉપરથી ફોન આવ્યા હતા અને તેની પાસેથી અજાણ્યા વ્યક્તિપૈસા પડાવવા માટે તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આવી જ રીતે ટંકારામાં લતીપર રોડ ઉપર દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારાને પણ તેઓના મોબાઈલ નંબર ૯૪૨૮૮ ૯૩૨૧૩ ઉપર અલગ-અલગ મોબાઈલ નંબરો ઉપરથી પૈસા પડાવવા માટે થઈને ફોન આવતા હતા અને તેઓને પણ તેમને તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે હર્ષિત બેચારભાઈ ઢેઢી રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા (૧૯), પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા (૨૦) રહે. લો વાસ ટંકારા અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા વાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા જેથી કોર્ટે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીઓની પોલીસે હાલમાં ખંડણીના ગુનામાં ધરપકડ કરી હતી અને ફરિયાદી અરવિંદભાઈ સવજીભાઈ કકાસણીના પિતા સવજીભાઈ કકાસણીની હત્યા પણ આ આરોપીઓએ જ કરી હતી જેથી તે ગુનામાં આગામી સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News