ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાધગઠ ગામે શોભાયાત્રા, નામકરણ અને વિષેશ સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારાના વાધગઠ ગામે શોભાયાત્રા, નામકરણ અને વિષેશ સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતાના સરતાજ એવા વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં ભવ્ય શોભાયાત્રા નીકાળેલ, ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી દરેક શેરીનું નામકરણ કરવામાં આવેલ અને વાઘગઢ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં સતત ખેવના રાખનાર વડીલો, બહેનો અને માતાઓનું સન્માન કરવામાં આવેલ હતું.ગત તા.૧૬-૪ ને શનિવારે વાઘગઢ ગામે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમની વિશેષતા એ જોવા જેવી હતી કે છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું છે. આ સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે-હોંશે વધાવીને ગામને વ્હાઇટ હાઉસ જેવું બનાવી દીધેલ છે.

આ વ્હાઇટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઇ બારૈયાએ લીધેલ છે.આ કાર્ય કરવા માટેનો રંગરોગાન કરવાનો તમામ ખર્ચ આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ લીધેલ છે. હનુમાનજી જયંતિ નિમિત્તે આખા ગામના મહાપ્રસાદના યુવા અને દાતા તેમજ જેઓના દિકરાના ટુંક સમયમાજ લગ્ન છે તો પહેલા મારા ગામને જમાડીને પછી સગાવ્હાલા અને મિત્રોને જમાડી આવી ઉત્તમ ભાવના રાખનાર સવજીભાઈ દેવશીભાઈ બારૈયાએ જવાબદારી લીધેલ. તેમજ ભારતના મહાપુરૂષો ઉપરથી શેરીઓના નામ રાખવા પાછળનું તમામ ખર્ચ ગામ વિકાસમાં હરહંમેશ એકકદમ આગળ એવા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યને બિરદાવવા વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઇ અને પંચાયત બોડીના સદસ્ય તથા તલાટી મંત્રી શીતલબેન દ્વારા આ કાર્યમાં સહયોગ આપનાર પચાસ શ્રમદાન કરનાર વડીલો, માતાઓ તથા દાતાનું સન્માન કરવામાં આવેલ હતું. આખા કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ અને દેવેન્દ્રભાઈ ફેફર તથા રમણિકભાઈ વડાવીયા દ્વારા કરવામા આવેલ હતું.






Latest News