ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સીટી મામલતદાર કચેરીમાં અરજદારોની સાથે ગેરવર્તન ! સરકારને બદનામ કરતાં અધિકારી સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબી સીટી મામલતદાર કચેરીમાં અરજદારોની સાથે ગેરવર્તન કરીને સરકારને બદનામ કરતાં અધિકારી સામે પગલાં લેવાની માંગ

મોરબીમાં સીટી મામલતદાર કચેરીને બે મહિના પહેલા ચાલુ કરવામાં આવી છે અને ત્યાં બેસતા નાયબ મામલતદાર દ્વારા અરજદારોની સાથે ગેરવર્તન કરવામાં આવે છે જેથી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી આ મુદે હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારને બદનામ કરતાં અધિકારી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા પૂર્વ સલાહકાર અન્નનાગરીક પુરવઠા પી.પી.જોષીએ કલેકટરને સીટી પૂરવઠા નાયબ મામલતદાર એ.બી.રાઠોડની ગેરવર્તન બાબત લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, સીટી મામલતદાર ઓફીસ તાજેતરમાં ચાલુ કરવામાં આવેલ છે ત્યા ફરજ બજાવતા પુરવઠા નાયબ મામલતદાર એ.બી.રાઠોડની વાણી અને વર્તન ઘણું જ ખરાબ છે અને અરજદારોને સંતોષકારક જવાબ આપતા નથી અને પોતાની પેઢી હોય તેવુ વર્તન કરે છે અને અરજદારોના અન્નપુર્ણા યોજનાના ફોર્મ સ્વીકારતા ન હોય તે બાબતે મામલતદારને રજૂઆત કરી હતી જેથી મામલતદારે ફોર્મ લેવાની સુચના આપેલ હતી તો પણ તા.૧૩/૪ ના રોજ અરજદારો ફોર્મ આપવા ગયેલ અને ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું અને ફોર્મ સ્વીકારેલ નહી અને પી.પી.જોશી જ્યારે આ મુદે તેને મળવા માટે ગયા ત્યારે અધિકારીએ તમારે મને કોઈ રજુઆત કરવી નહી તમારાથી થાય તે કરી લેજો અને મારી સામે ન લખાય તેવા વાણી વીલાસ કરેલ ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પાછળ ખર્ચે કરે છે પરંતુ આવા કર્મચારીને કારણે સરકાર બદનામ થાય છે ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News