મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીએ મારામારીમાં ઘવાયેલા ત્રણ સારવારમાં


SHARE









મોરબીની પીપળીયા ચોકડીએ મારામારીમાં ઘવાયેલા ત્રણ સારવારમાં

મોરબી તાલુકાના નવલખી હાઇવે ઉપર આવેલી પીપળીયા ચોકડી નજીક ગત રાત્રીના મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘવાયેલા ત્રણ લોકોને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપળીયા ચોકડી નજીક ગઇકાલના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી પીપળીયા ગામના રહેવાસી ગોરધનભાઈ રઘુભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામના ૫૫ વર્ષીય આધેડને તેમજ સામેવાળા શાર્દુલભાઇ પોપટભાઇ દેલવાડીયા દેવીપુજક (૫૫) અને ચંપાબેન વિરમભાઈ અઘારીયા દેવીપુજક (૩૫) એમ ત્રણ લોકોને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઈજા

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતો જીલ મહેન્દ્રભાઈ ભોરણીયા નામનો ૧૭ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એકસલ સીરામીકની પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના એંજાર ગામનો વતની વાસુદેવભાઈ જાદવભાઈ ડાભી નામનો ૨૬ વર્ષીય યુવાન ગામની સીમમાંથી ચાલીને જતો હતો ત્યારે કોઈ બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી વાસુદેવ ડાભીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં આધેડને ઈજા

જસદણના ખાનપર રોડ ઉપર રહેતા જગદીશ શામજીભાઈ બાવળીયા નામના ૫૫ વર્ષીય આધેડ પોતાની મારુતિવાનમાં બાળકોને સ્કુલે લેવા-મુકવા માટે જતા હતા ત્યારે આટકોટ ચોકડી પાસે તેઓની કાર સાથે અન્ય કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલ જગદીશભાઈ બાવળિયાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે હળવદના ધણાદ ગામનો વતની લાલજીભાઈ ભુપતભાઈ પાટડીયા નામના ૨૩ વર્ષીય યુવાનને અજાણ્યા રિક્ષા ચાલકે હડફેટે લેતાં તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News