મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીએ મારામારીમાં ઘવાયેલા ત્રણ સારવારમાં


SHARE







મોરબીની પીપળીયા ચોકડીએ મારામારીમાં ઘવાયેલા ત્રણ સારવારમાં

મોરબી તાલુકાના નવલખી હાઇવે ઉપર આવેલી પીપળીયા ચોકડી નજીક ગત રાત્રીના મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘવાયેલા ત્રણ લોકોને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપળીયા ચોકડી નજીક ગઇકાલના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી પીપળીયા ગામના રહેવાસી ગોરધનભાઈ રઘુભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામના ૫૫ વર્ષીય આધેડને તેમજ સામેવાળા શાર્દુલભાઇ પોપટભાઇ દેલવાડીયા દેવીપુજક (૫૫) અને ચંપાબેન વિરમભાઈ અઘારીયા દેવીપુજક (૩૫) એમ ત્રણ લોકોને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઈજા

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતો જીલ મહેન્દ્રભાઈ ભોરણીયા નામનો ૧૭ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એકસલ સીરામીકની પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના એંજાર ગામનો વતની વાસુદેવભાઈ જાદવભાઈ ડાભી નામનો ૨૬ વર્ષીય યુવાન ગામની સીમમાંથી ચાલીને જતો હતો ત્યારે કોઈ બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી વાસુદેવ ડાભીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં આધેડને ઈજા

જસદણના ખાનપર રોડ ઉપર રહેતા જગદીશ શામજીભાઈ બાવળીયા નામના ૫૫ વર્ષીય આધેડ પોતાની મારુતિવાનમાં બાળકોને સ્કુલે લેવા-મુકવા માટે જતા હતા ત્યારે આટકોટ ચોકડી પાસે તેઓની કાર સાથે અન્ય કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલ જગદીશભાઈ બાવળિયાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે હળવદના ધણાદ ગામનો વતની લાલજીભાઈ ભુપતભાઈ પાટડીયા નામના ૨૩ વર્ષીય યુવાનને અજાણ્યા રિક્ષા ચાલકે હડફેટે લેતાં તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News