ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે ઉમેશભાઈ કચોરીયાની વરણી


SHARE













મોરબી મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે ઉમેશભાઈ કચોરીયાની વરણી

મોરબી મહેશ્વરી સમાજની તાજેતરમાં મીટીંગ યોજાઇ હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ઉમેશભાઈ કચોરીયાની વરણી કરવામાં આવેલ છે.

મોરબી મહેશ્વરી સમાજની જનરલ મીટીંગ યોજાઇ હતી જેમાં હાજર કારોબારી સભ્યો દ્વારા સર્વાનુમતે પ્રમુખ તરીકે ઉમેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા (ઘનશ્યામ ટ્રેડર્સ) ની વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ તરીકે હરીશભાઇ ચંદીરામ કૈલાની, મંત્રી તરીકે જયસુખભાઇ કૈલાની, ખજાનચી તરીકે પિયુષભાઈ કૈલાની તેમજ અન્ય કારોબારી સભ્યોની સર્વ સહમતિથી વરણીઓ કરવામાં આવી હતી.મોરબી મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે વરણી પામેલા ઉમેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા હાલમાં મોરબી ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશનના પણ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં પણ તેઓ સહમંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેઓનો મોબાઈલ નંબર ૯૪૨૬૯ ૧૫૨૩૪ છે. નવા હોદેદારોને સર્વે તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

લઘુમતી મોરચાની ટીમ જાહેર

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર – વિમર્શ કરીને માળીયા (મી) તાલુકા લઘુમતી મોરચાની ટીમને જાહેર કરેલ છે જેમાં પ્રમુખ કાદરબાપુ ઈસ્માઈલભાઈ સૈયદ મહામંત્રી આમદભાઈ સુલેમાનભાઈ સુમરા, ઉપપ્રમુખ અનવરભાઈ હબીબભાઈ સામતાણી અને હનીફભાઈ જુસબભાઈ ભટ્ટી, મંત્રી તરીકે અજરુદીનભાઈ જામ, ગનીભાઈ ઈસાકમાઈ ભટ્ટી, સલીમભાઈ દાઉદભાઈ જેડા અને અલ્યાસભાઈ હાજીભાઈ માલાણી તેમજ કોષાધ્યક્ષ તરીકે રસુલભાઈ સદીકભાઈ સુમરાની વરણી કરવામાં આવી છે.






Latest News